Saturday, July 11, 2009

Jyotidham by Karsandas Manek

જ્યોતિધામ [મંદાક્રાંતા]

કરસનદાસ માણેક

============================== ===========

મેં ગ્રંથોમાં જીવનપથના સૂચનો ખોળી જોયાં;
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં દ્યુતિકિરણ એકાર્ધ યે પામવાને
મંદિરોનાં પથર પુતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સંતોકેરાં કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં;
એકાંતોનાં મશહુર ધનાગાર ઉઘાડી જોયાં;
ઊંડે ઊંડે નિજમંહિ સર્યો તેજકણ કામવાને,
વિશ્વે વંદ્યા,પણ,સકલ ભન્ડાર મેં ખાલી જોયાં!
ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં
વર્ષાવંતા મુજ ઉપર વાત્સલ્યપીષધારા.
તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ,
ન્હોતો તેમાં અવગણનના દુઃખનો લેશ ભાસ !
જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ !
મોડી મોડી ખબર પડી,બા,તું જ છો જ્યોતિધામ !

No comments:

Post a Comment